You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Chandrakanta
લેખક : દેવકીનંદન ખત્રી
Author : Devkinandan Khatri
421.00
495.00 15% off
આધુનિક હિન્દી સાહિત્યનો પાયો નાખનાર લોકપ્રિય નવલકથા.
‘ચંદ્રકાંતા’ દેવકીનંદન ખત્રીની હિન્દી ભાષામાં લખાયેલી એક અત્યંત લોકપ્રિય નવલકથા છે, એવું કહેવાય છે કે, આધુનિક હિન્દી સાહિત્યનો પાયો આ નવલકથાથી નખાયો.
આ નવલકથાના કારણે અનેક લોકોએ હિન્દી શીખવાનું શરૂ કર્યું. પ્રસિદ્ધ છે કે, દક્ષિણ ભારત સહિત અનેક બિન-હિન્દી ભાષી પ્રદેશોમાં લોકોએ માત્ર આ નવલકથા વાંચવા માટે હિન્દી ભાષા શીખી હતી!
કોઈ નાટકની સ્ક્રીપ્ટ હોય એ રીતે દેવકીનંદન ખત્રીએ આ પુસ્તક લખ્યું છે. દરેક ચેપ્ટરને તેઓએ ‘બયાન’ નામ આપ્યું છે. ટેલિવિઝન પર શોપ ઓપેરા - એટલે કે લાંબો સમય ચાલતી સિરિયલ શરૂ થઈ, એ અગાઉ આ પુસ્તકમાં દેવકીનંદન ખત્રીએ ‘બયાન’ અંતર્ગત સિરિયલનો એપિસોડ હોય, એ રીતે પ્રકરણની માવજત કરી છે. પ્રકરણનો અંત એવી રીતે આવે, કે આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા વાચકમાં જળવાઈ રહે.
In Gujarat on orders over 299/-