You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   Biographies   >   Historical ~ Political Biographies & Memoirs   >   Bharatne Kyarey Na Malel Shreshth Vadapradhan Sardar Patel


  • Click image to zoom

  • Click image to zoom

ભારતને ક્યારેય ન મળેલ શ્રેષ્ઠ વડાપ્રધાન સરદાર પટેલ

લેખક : રજનીકાંત પુરાણિક

Bharatne Kyarey Na Malel Shreshth Vadapradhan Sardar Patel

Author : Rajnikant Puranik

 315.00    
 350.00   10% off

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


ABOUT BOOK


સરદાર પટેલ એટલે દેશને ન મળી શકેલા શ્રેષ્ઠ વડાપ્રધાન. 1946માં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ 80% મત સાથે સરદાર પટેલને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અને તેથી આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે ચૂંટ્યા હતા. ગાંધીજીની ઈચ્છાને માન આપીને આ હોદ્દાનું એમણે કોઈ વિરોધ કે વસવસો પ્રગટ કર્યા વિના બલિદાન આપ્યું.

સરદાર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો ઇતિહાસ કંઇક જુદો જ હોત. ભલે એ સમયે એ શારીરિક રીતે અસ્વસ્થ હતા અને આઝાદી પછી ત્રણ વરસે એમનો દેહાંત થયો હતો, તેમ છતાં. સરદાર વડાપ્રધાન હોત તો કાશ્મીરની સમસ્યા ન હોત. એ સમસ્યા કે જેના કારણે દેશે લાખો જવાનો અને નિર્દોષ નાગરિકોના જીવનની આહુતિ આપવી પડી છે, લાખો સ્ત્રીઓ વિધવા થઇ છે, લાખો બાળકો અનાથ બન્યાં છે. એ સમસ્યા કે જેને કારણે આતંકવાદ સામે લડવા માટે દેશની આર્થિક કરોડરજ્જુ ભાંગી ગઈ. એ સમસ્યા કે જેના કારણે, અબજો-ખર્વો રૂપિયા પાણીની જેમ વાપરવા પડ્યા, જાન-માલનું ગણી ન શકાય એટલું નુકસાન થયું. વિચારી જુઓ કે કાશ્મીરની સમસ્યાને ઉગતી જ ડામી દેવામાં આવી હોત અને કાશ્મીર ભારતના અન્ય રાજ્યો જેવું જ નોર્મલ હોત તો એને કારણે થયેલા ખર્ચની રકમ દેશના વિકાસ પાછળ વાપરી શકાઈ હોત અને દેશની આર્થિક પરિસ્થિતિ ક્યાંય વધુ બહેતર હોત. હા, સરદારે આ સમસ્યાને જડમૂળમાંથી ખતમ કરી જ હોત.

ભાગલા પછીના ભારતને આપણે જે સ્વરૂપે જોઈએ છીએ તે સરદાર પટેલને આભારી છે. સરદાર ન હોત તો ભારત બીજા અનેક ટુકડાઓમાં એ જ સમયે વહેંચાઈ ગયું હોત. આ લોખંડી મહામાનવે 547 રજવાડાંઓના ભારત સાથે વિલીનીકરણનું ભગીરથ કાર્ય પાર પાડ્યું, જે માત્ર એ જ કરી શક્યા હોત.

ઇતિહાસ ફેંદીને, ઊંડું સંશોધન કરીને લખાયેલા આ પુસ્તકમાં ૨૦૦થી વધુ સંદર્ભોનો સહારો લેવાયો છે. સરદારના આત્મચરિત્ર અંગેની રસપ્રદ વિગતો આવરી લેવાઈ છે. એ સમયના કેટલાંય પ્રસંગો આવરી લેવાયા છે અને સરદારને થયેલા રાજકીય અન્યાયોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સુપ્રસિદ્ધ અને ચર્ચાસ્પદ બનેલાં મૂળ અંગ્રેજી પુસ્તક ‘The best PM India never had’ નો આ ગુજરાતી અનુવાદ છે. રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા અનુવાદક જેલમ વોરાનો આ બીજો અનુવાદ છે. કાશ્મીરી પંડિતોની આપવીતી વર્ણવતાં, રાહુલ પંડિતાના અંગ્રેજી પુસ્તક ‘Our Moon Has Blood Clots’ નો અનુવાદ ‘અમારું રક્તરંજીત વતન’ નામે એમણે અગાઉ કર્યો હતો અને એ પુસ્તક પણ ઘણું લોકપ્રિય બન્યું હતું.



DETAILS


Title

Bharatne Kyarey Na Malel Shreshth Vadapradhan Sardar Patel

Author

Rajnikant Puranik

Publication Year

2021

Translator

Jelam Vohra

ISBN

9789390572779

Pages

298

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Book Image

Me To Chupchup Chah Rahi

Yagnesh Dave     350.00
BuyDetails

Me To Chupchup Chah Rahi

315.00    350.00
Book Image

Motne Hamphavnara

Swami Anand     200.00
BuyDetails

Motne Hamphavnara

180.00    200.00
Book Image

Naghrol

Swami Anand     200.00
BuyDetails

Naghrol

180.00    200.00
Book Image

Kulkathao

Swami Anand     200.00
BuyDetails

Kulkathao

180.00    200.00
Book Image

Dhartinu Loon

Swami Anand     200.00
BuyDetails

Dhartinu Loon

180.00    200.00
Book Image

Sarjakna Sathidar

Jyoti Unadkat     300.00
BuyDetails

Sarjakna Sathidar

270.00    300.00
Book Image

Socretis Thi Sartra

Mavji K. Savla     100.00
BuyDetails

Socretis Thi Sartra

90.00    100.00
Book Image

Kavivar Ravindranath Thakur : Jivan Ane KAvan

Kantilal M Shah     200.00
BuyDetails

Kavivar Ravindranath Thakur : Jivan Ane KAvan

180.00    200.00