You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Parmatmana Parenting Patro
લેખક : નિમિત્ત ઓઝા (ડો)
Author : Nimitt Oza (Dr)
157.00
175.00 10% off
આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. એમણે કહેલું કે ‘બાળક એ પરમાત્માએ માનવજાતને લખેલો એક પ્રેમપત્ર છે.’ પૃથ્વી પર પરમાત્માનો સંદેશ લઈને અવતરનાર બાળકને પરમાત્મા પોતે જ પત્ર લખે તો એ કેવો હોય? પોતાનાં જ સર્જનને એ કેવી શિખામણો આપે? આવા પ્રશ્નોનોના જવાબ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં બાળકને સંબોધીને લખાયેલા પત્રો દ્વારા પરમાત્માએ આપણને પેરેન્ટિંગના પાઠ ભણાવ્યા છે. આ પત્રોમાં સંબોધન બાળકને છે અને શિખામણ માતાપિતાને! જગતના મહાન વિચારકો, મહાત્માઓ, વિજ્ઞાનીઓએ પોતાના બાળકોને લખેલા અદ્દભુત અને અસાધારણ પત્રોનું આ લાગણીશીલ સંપાદન છે. આ પત્રોમાં રહેલા બાળ-કેળવણી અને બાળ-ઉછેરના ગહન વિચારો વાંચીએ તો સમજાય છે કે આ પત્રો લખનાર કોઈ સામાન્ય પિતા ન હોઈ શકે. આ પત્ર એમની અંદર રહેલા પરમાત્મા લખાવી રહ્યા છે. એ રીતે આ પરમાત્માએ બાળકોને લખેલા પત્રો છે.
In Gujarat on orders over 299/-